ફરાળી દહીંવડા
Source: Bhaskar News, Ahmedabad | Last Updated 12:05 AM [IST](02/09/2010)
સીંગદાણા, આદું, લીલાં મરચાં, કોથમીર, શિંગોડાનો લોટ, મીઠું, મરીનો પાઉડર, લીંબુ, ખાંડ, ખજૂર-આંબલિની ચટણી, લીલી ચટણી, દાડમ, બટાકા.
રીત
સીંગદાણાને નવશેકા પાણીમાં ત્રણ-ચાર કલાક પલાળવા. તેમાં જરૂર મુજબ મીઠું તથા લીંબુનો રસ ભેળવો. હવે પલાળેલા સીંગદાણાને બાફી લેવા. બાફેલી સીંગને મિક્સરમાં બરાબર ક્રશ કરો. તેમાં સમારેલાં આદુ-મરચાં, કોથમીર, લીંબુનો રસ, મીઠું તથા મરીનો પાઉડર ઉમેરવો.
હવે બટાકા બાફી લઇ તેનો માવો તૈયાર કરો. આ માવામાં મીઠું તથા શિંગોડાનો લોટ મિક્સ કરી તેમાંથી વડા બનાવી તેમાં ક્રશ કરેલા સીંગદાણાનું પૂરણ ભરવું. તે પછી તેને ફરી ગોળા વાળી અને તળી લેવા. આ વડાને સર્વિંગ પ્લેટમાં ગોઠવી તેના ઉપર દહીં, ખાંડ, લીલી ચટણી, ખજૂર-આંબલિની ચટણી, કોથમીર તથા દાડમના દાણા નાખી સર્વ કરો.
નોંધ : આ વડાને પાણીમાં પલાળવાના નથી.
No comments:
Post a Comment