અનાનસનો પુલાવ

૧ વાટકી ચોખા,
૧ વાટકી સાકર,
૧/૨ નાનું તાજું અનાનસ અથવા પાઈનેપલ ટીન,
૧/૨ કપ ઘી, થોડું દૂધ,
૧ ચમચી ગરમ મસાલો, બદામ, પિસ્તા, દ્રાક્ષ, ચારોળી, કેસર,
મીઠું – જાયફળ જાવંત્રી,
૨ કપ પાણી.
પુલાવનો મસાલો :-
૪ કટકા તજ,
૪ લવિંગ,
૬ મરી, ૫ ઇલાયચી,
૬ બોરિયાં મરચાં,
૧ ચમચી ધાણાં,
૧ ચમચી શાહજીરું,
૧ ચમચી વળિયારી.
રીત :-
(૧) પ્રેશર કુકરમાં ૧/૨ કપ ઘી નાખી પુલાવનો બધો મસાલો નાખી સાંતળવા. ચોખા તથા થોડું પાણી નાખવું. ગરમ મસાલો નાખવો. બદામને બારીક વાટી તેમાં દૂધ અને કેસર ભેળવી પુલાવમાં ઉમેરવું અને પાઈનેપલના સીરપ સાથે પાઈનેપલને પુલાવમાં નાખવું અને ૨ કપ પાણી નાખી કુકરમાં ૨ સીટી વગાડવી, ગરમ પીરસવું.
જો ટીનનું પાઈનેપલ ન લેવું હોય તો તાજા અનાનસના ટુકડા કરી તેમાં બે વાટકી સાકર ભેળવી ધીમા તાપે ગેર પર મૂકવું. થોડું પાણી નાખવું સાકરની ચાસણી થવા આવે ત્યાં સુધી ગેસ પર રાખવું. ઠંડુ પડે એટલે ચોખમાં નાખવા.
No comments:
Post a Comment